“આચાર્યાશ્રીનો સંદેશ”
“જય શ્રી કૃષ્ણ”
૧૯૮૫થી મારી શિક્ષક તરીકે આ સંસ્થામાં શરૂ થયેલી કારકિર્દી અને,આચાર્યા તરીકે ૧૯૯૬થી કાર્યભાર સંભાળ્યો.. અને ત્યારથી મેં કામ કરવાનો અનેરો થનગનાટ અનુભવ્યો.મને સતત બાળક વિશે વિચારવાનો અવસર મળ્યો. સમગ્ર માનવ જાતના વિકાસ અને વિસ્તારનો આધાર “બાળક” છે. શિશુ એક વિકાસશીલ આત્મા છે. આ ઉદ્દ્ગાર મહર્ષિ અરવિંદના છે.પ્રત્યેક બાળક વિકાસની અસીમ સંભાવનાઓ સાથે આ ધરતી પર અવતરે છે. આવશ્યકતા છે આ અસીમ સંભાવનાઓ સમજવાની, જે આ સંસ્થા દ્વારા મને સાપડી.
મારે તો બસ એ જ કહેવું છે કે,બાળક પોતે એક મહાગ્રંથ છે. એને નવલિકા કે નવલકથાની જેમ વાંચી ન જવાય. એનો એક એક અક્ષર ઉકેલવો પડે, એનું ભાષ્ય કરવું પડે…અને..માટે જ બાળક એ મનુષ્યની પ્રથમ યુનિવર્સિટી છે. કોઈ મોટા ભવન કે વૈભવ વિનાની એક હરતી,ફરતી,ઊછળતી,કૂદતી યુનિવર્સિટી. એના ઉપર થિસીસ લખવા માટે એની પાછળ પાછળ ફરવું પડે,એની સાથે હસવું પડે. રમવું પડે ને ગાવું પણ પડે!
આમ,
બાળકને સમજવું એક સાધના છે,
એને ઉછેરવું એક કળા છે,
એના ઉપર ગુસ્સે ન થવું એ સંયમ છે,