૧૯૮૫થી મારી શિક્ષક તરીકે આ સંસ્થામાં શરૂ થયેલી કારકિર્દી અને,આચાર્યા તરીકે ૧૯૯૬થી કાર્યભાર સંભાળ્યો.. અને ત્યારથી મેં કામ કરવાનો અનેરો થનગનાટ અનુભવ્યો.મને સતત બાળક વિશે વિચારવાનો અવસર મળ્યો. સમગ્ર માનવ જાતના વિકાસ અને વિસ્તારનો આધાર “બાળક” છે. શિશુ એક વિકાસશીલ આત્મા છે. આ ઉદ્દ્ગાર મહર્ષિ અરવિંદના છે.પ્રત્યેક બાળક વિકાસની અસીમ સંભાવનાઓ સાથે આ ધરતી પર અવતરે છે. આવશ્યકતા છે આ અસીમ સંભાવનાઓ સમજવાની, જે આ સંસ્થા દ્વારા મને સાપડી.
વધુ વાંચો »